થરાદની ભૂમિપાર્ક વૃંદાવન સોસાયટીમાં પાણીની સમસ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ તાલુકાની મલુપુર ગ્રામ પંચાયતની હદમાં આવતી સોસાયટીઓમાં પીવાનું પાણી ન આવતા મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયતમાં પાણી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. થરાદ તાલુકામાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ જે થરાદ તાલુકાના જીવા દોરી સમાન છે. આ કેનાલમાંથી તાલુકા અને થરાદ શહેરને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે. થરાદ તાલુકાના મલુપુર ગ્રામ પંચાયતની હદમાં આવતી ભૂમિપાર્ક વૃંદાવન સોસાયટીમાં છેલ્લા કેટલા સમયથી પીવાનું પાણી ન આવતા આ સોસાયટીની મહિલાઓ દ્વારા મલુપુર ગ્રામ પંચાયતમાં મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા આવેદનપત્ર આપી તાત્કાલિક પાણી આપવાની માંગણી કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.