અમીરગઢ સરકારી વિનયન કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ સરકારી વિનયન કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વકતૃત્વ,નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક થી ત્રણ નંબર આવેલ વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું.

ભારત સરકારના યુવા અને રમત-ગમત મંત્રાલય તથા ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કોલેજ કક્ષાએ વિવિધ પ્રવુતિઓનું આયોજન કરવા જણાવેલ છે. જેના ભાગરૂપે સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે ઉચ્ચ શિક્ષણ દ્વારા આપેલ થીમ મુજબ વકતૃત્વ,નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે નાઇ ધરતીબેન મહેશભાઇ – સેમ -5,નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ડાભી ગિરિવરસિંહ વિક્રમસિંહ- સેમ- 5,તેમજ ચિત્ર સ્પર્ધામાં સેમ-1 ના વિદ્યાર્થી સિંધી હંજુલા એન. પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી વિજેતા થયા હતા. વિજેતા થયેલા વિર્ધાથીઓને કોલેજ પરિવારે શુભેચ્છા પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.