વડગામ તાલુકા કોંગ્રેસ દ્વારા યુવાનોને કાયમી રોજગારીના મુદ્દે ધરણાં યોજાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

કેન્દ્ર તથા રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં શિક્ષિત બેરોજગારો યુવાનોને કરાર આધારિત નોકરીની જગ્યાએ કાયમી ધોરણે રોજગારી આપવા તથા સેનામાં અગ્નિપથ ભરતી યોજનાનો પ્રસ્તાવ દૂર કરવાની બુલંદ માંગ સાથે વડગામ બસ સ્ટેશન ચોક વલ્લા નીચે તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવુંસિંહ ડાભીની અધ્યક્ષતામાં ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહિલા પાંખના મહામંત્રી લક્ષ્મીબેન કરણ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ડી.એમ.પટેલ, જિલ્લા પંચાયત ડેલીગેટ ભિખુભાઈ બિહારી, તા.ઉપ પ્રમુખ બળદેવસિંહ ઠાકોર, જિલ્લા કોંગ્રેસ અગ્રણી પી.એમ. પટેલ વગેરે મહાનુભાવોએ સુત્રો પોકારી વાતાવરણ ગજવ્યુ હતું. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.