આજદિન સુધી નાળાનું સમારકામ ન થતાં સ્થાનિકમાં રોષ: થેરવાડામાં 9 વર્ષથી પૂરમાં ધોવાયેલું નાળું આજે પણ જેસે થે હાલતમાં !

બનાસકાંઠા
બનાસકાંઠા

તંત્રને લાગતાં વળગતાં અધિકારી અનેક વખત રજુઆતો કરવા છતા પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.ડીસા તાલુકાના થેરવાડા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે નાળું બનાવવામાં આવ્યું હતું. પરંતુ ૨૦૧૫ માં આવેલ પૂરના કારણે વરસાદી પાણીનો માર સહન ન કરી શક્યું અને વરસાદી પાણીની સાથે નાળું તૂટીને પાણીમાં જતું રહ્યું હતું. થોડા સમય બાદ જ્યારે પાણીનું વહેણ બંધ થયું ત્યારે ફરીથી ગ્રામજનો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્થાંનિક તંત્રને નાળું બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. વર્ષ ૨૦૨૧માં આવેલા ભારે વરસાદના કારણે આ નાળું તૂટેલો હોવાથી તમામ વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા.

આથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ ગામની મુલાકાત લઈ વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે નાળું તૈયાર કરવામાં આવે તેવી માંગ કરી છે. સરકાર દ્વારા ચોમાસુ નજીક આવશે તારે પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવશે પરતું ડીસા ગ્રામિણ વિસ્તારોમાં ચોમાસાની કોઈ કામગીરી કરવામાં આવી નથી ડીસા તાલુકાના થેરવાડા ગામ થેરવાડા થી ઝેરડા જતા રોડ પર એક નાળાનુ કામ કરવામાં આવુ હતુ પણ વરસાદ નું પાણી થી છેલ્લા નવ વર્ષથી નાળૂ ધોવાઈ ગયું છે પરંતુ તંત્ર દ્વારા નાળા નું સર્વ કરી ને ગયા પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી અને બનેલા નાળા ઉપર પહેલા ભારે વરસાદ થવાથી નાળો બનતા સમગ્ર નાળા પર તિરોડો ખાડા પડેલ છે. આ નાળા ઉપર બનાવેલ રોડ બાઈવાડા વિઠોદર જાવલ જેવા ગામે ઝેરડા થી થેરવાડા રોડ જોડેલ છે અગાઉ નાળુ બનતા માત્ર નામ બન્યું છે એટલું જ નહી. નાળા ની સાઈડમાં પાણીના ધસમસતા પ્રવાહના કારણે ઊંડા ખાડા પડી ગયા છે.

વાહન ચાલકો માટે આગળ ખાઈ અને પાછળ કુવા જેવા ઘાટ ધડાવે છે. અગાઉ રજુઆત કરવા છતાંય કોન્ટ્રાક્ટર અને તંત્ર ની મિલી ભગત થી આંખ આડા કાન કરવામાં આવ્યા હતા નાળામાં ગુણવતા વગર નો હલકો માલ વાપરી શોભાના ગાંઠિયા જેવું કામ કરેલ છે અને આ બાબત્તે થેરવાડા ઝેરડા રોડ વચ્ચે વ્યવસ્થિત નાળો બનાવવામાં આવે તેનું સમાર કામકરવા માટે કાર્યપાલક ઈજનેર સાહેબ માર્ગ અને મકાન પંચાયત વિભાગમાં રજુઆત કરી છે. પણ હજુ સુધી તંત્ર દ્વારા આ નાળા ની તાપસ કે સમાર કામ થતું નથી તો આ નાળા નું સમાર કામ કરવામાં આવે એવી ગામ જનોની માગણી છે ગામ

થેરવાડા થી ઝેરડા જતો રોડ માં વચ્ચે નાળુ બનાવવા માં આવેલ છે નાળા ની આજુ બાજુ ત્રણ તળાવ આવેલ છે અને પશ્ચિમ ભાગ માં પ્રાથમિક શાળા આવેલ છે તેમાં આશરે  500 જેટલા  જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો ચોમાસા ના વરસાદ ના પાણી નો માર હોવાથી નાળો તૂટી ગયેલ છે તો તંત્ર દ્વારા યોગ્ય ગુણવત્તા વાળો માલ વાપરી અને વ્યવસ્થિત નાળા નું સમાર કામ કરે એવી ગામ લોકો ની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.