![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/ઉપરવાસમાં-થયેલા-ભારે-hed.jpg)
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ઉમરદશી નદી બની જીવંત: ખેડૂતોને થશે લાભ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસ થી મેઘરાજા મહેરબાન થયા છે. દાંતા અને ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સુકી રહેતી ઉમરદશી નદીમાં અચાનક નવા નીર આવ્યા હતા. ધાણધા નજીક પસાર થતી ઉમરદશી નદીમાં નવા આવતા ખેડૂતોને લાભ થશે.
પાલનપુર ના ધાણધા નજીક પસાર થતી ઉમરદશી નદીમાં આજે નવા નીર આવ્યા હતા. ગતરાત્રે ઉપરવાસ અને દાંતામાં ભારે વરસાદ પડતાં સૂકીભટ્ટ પડેલી ઉમરદશી નદી જીવંત થઈ છે. પાલનપુર ની ઉમરદશી નદી આસપાસના ખેડૂતો માટે જીવા દોરી સમાન છે. પસાર થતી નદીના કાંઠે અંદાજિત 100 થી વધુ ગામડાઓ નદીના આસપાસ આવેલા છે .ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ના લીધે ઉમરદશી નદીમાં નવા નીર આવાથી ખેડુતો માં આનંદ લાગણી વ્યાપી છે.