વાવની પેટા ચૂંટણી ટાણે કોંગ્રેસના બે ઠાકોર આગેવાનોનું વિદેશ ગમન

બનાસકાંઠા
બનાસકાંઠા

કોંગ્રેસ કાર્યકરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું: બનાસકાંઠાની ગત લોકસભા બેઠક માટે બળદેવજી ઠાકોરની મુખ્ય જવાબદારી હતી, જ્યારે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને ચંદનજી ઠાકોરે ભાજપને જોરદાર ટક્કર આપી હતી. વાવ વિધાનસભા બેઠક પર સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, ત્યારે પેટા ચૂંટણીના નાજુક સમયે કોંગ્રેસના આ બંને દિગ્ગજ નેતાઓના અચાનક જાપાન પ્રવાસથી કોંગ્રેસ પક્ષમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ પક્ષને આ પ્રવાસ અંગે કોઈ પૂર્વ જાણ કરી ન હતી. આ પરિસ્થિતિમાં પક્ષના કાર્યકરોમાં અનેક પ્રકારની અટકળો તેજ બની છે. પેટાચૂંટણીના પ્રચાર અને વ્યૂહરચના માટે આ બંને અનુભવી નેતાઓની ગેરહાજરી પક્ષને નડી શકે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવની બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.