![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/IMG-20200919-WA0184.jpg)
સામરવાડા ગામે મકાનની છત પડી જતા બેના મોત : બે ઘાયલ
રખેવાળ ન્યુઝ ધાનેરા: ધાનેરા તાલુકાના સામરવાડા ગામે બનેલી ગોઝારી દુર્ઘટનામા પરિવારના બે સભ્યોના કરુણ મોત થયા છે જ્યારે અન્ય બેને ઇજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેને લઈ હર્યોભર્યો પરિવાર વિખેરાઈ ગયો છે.
ધાનેરા તાલુકાના સામરવાડા ગામે જેતપુરી ગૈસ્વામી પોતાના કાચા પતરાવાળા મકાનમાં રહે છે મકાનની આગળ આરસીસીનું પાકું ધાબુ ભરેલું હતું જો કે આ મકાન વર્ષો જૂનું હોવાથી બાંધકામ પણ જર્જરિત બની ગયું હતું.આજે શનિવારે પરિવાર ભેગો મળી ઘરની આગળ બેઠલો હતો એ સમયે અચાનક મકાનની આગળનું છજુ પડતા પરિવારના સભ્યો નીચે દબાઈ ગયા હતા .
જેમાં ગૌસ્વામી જેતપુરીના પત્ની નાનુંબેન તેમજ મળવા માટે આવેલ પુત્રીના ૧૧ માસના માસૂમ ભાણેજનું ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી મચી હતી. શાંતિ ભર્યા માહોલમા બેઠલો પરીવાર આજે વખેરાઈ ગયો હતો.ગ્રામજનો તેમજ સમાજના આગેવાનો ને જાણ થતાં ઘટના સ્થળે ધસી આવ્યા હતા. અને ૧૦૮ મોબાઈલ વાન દ્વારા ઘાયલો ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી દવાખાને લઈ જવાયા હતા.ધાનેરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.