બનાસકાંઠાના દાંતીવાડા ડેમના બે દરવાજા બંધ કરવામાં આવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાતા બે દરવાજા બંધ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલાયા હતા. હાલમાં 4 દરવાજા મારફતે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.ડેમમાં હાલમાં પાણીની આવક અને જાવક 7 હજાર 200 ક્યુસેક છે. ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમ 85.65 ટકા ભરાતા બનાસકાંઠાના ખેડૂતોને પીવાના પાણી અને સિંચાઈમાં મોટી રાહત થશે. રાજસ્થાનમાં વધુ વરસાદ થતા ડેમમાં પાણીની આવક થઇ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.