![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/05-3.jpg)
અંબાજી નજીક રાણપુર પાસે વળાંકમાં ટ્રેલર પલટી મારી ગઈ : એકનું મોત
રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલું પવિત્ર યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં વિખ્યાત છે. યાત્રાધામ અંબાજી આવવા માટેના તમામ માર્ગો મોટા ભાગે પહાડી વિસ્તાર અને ઢળાંગવાળા છે. પહાડી વિસ્તાર અને ઢળાંગવાળા હોવાના કારણે અંબાજી અને આજુબાજુ અકસ્માતોના બનાવો બનતા હોય છે. ત્યારે અંબાજી નજીક આવેલા રાણપુર હાઇવે માર્ગ પર એક ટ્રેલરને અકસ્માત નડ્યો હતો.
અંબાજી નજીક ટ્રેલર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અંબાજી ખેડબ્રહ્મા હાઇવે પર આવેલા રાણપુર પાસે વળાંકમા ટ્રેલર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. લોખંડની પાઇપો ભરેલી ટ્રક ટ્રેલર પલટી જતાં અકસ્માત હતો. જેમાં એકનું મોત અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ અંબાજી પોલીસને થતા અંબાજી પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી. પાઇપો ભરેલી ટ્રેલર રાજસ્થાન તરફથી આવી શામળાજી તરફ જઈ રહ્યો હતો. ત્યારે અંબાજી નજીક રાણપુર પાસે પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો હતો, તો ખલાસીનું મોત નિપજ્યું હતું.