અમીરગઢ હાઇવે પર બાઈકનો અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અમીરગઢ  : અમીરગઢ હાઇવે પર બાઈકનો અકસ્માત સર્જાતા બે યુવકોના કરુણ મોત નિપજ્યા. અમીરગઢના કાનપુરના યુવકો બાઇક નંબર જીજે.૦૮. સીએ. ૪૦૬૪ લઈ અમીરગઢમાં યોજાયેલા સાત પગલાં ખેડૂત કાર્યક્રમમાં આવતા હોવાનું જાણવા મળ્યું. અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતા. જેમાં ગંભીર ઈજાગ્રસ્ત બે યુવકોને સારવાર માટે અમીરગઢ સરકારી દવાખાનામાં લાવ્યા બાદ મોત નિપજ્યુ હતુ. કાનપુરના ગુજરાભાઈ ખરડી અને ગલાભાઈ દામાંના મોત નિપજ્યા હતા. પોલીસે પરિવારજનોને જાણ કરી મૃતકોના પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.