પાલનપુરના વેપારીને તારથી બાંધી સળગાવી દઈ હત્યા કરાતાં ચકચાર

બનાસકાંઠા
Palanpur death
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર  : પાલનપુર શહેરના લક્ષ્મીપુરાના એક વેપારીને તારથી બાંધી સળગાવી દઈ કમકમાટીભરી હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી છે. જેમનો મૃતદેહ મંગળવારે મોડી સાંજે આકેસણ – વેડંચા ગામની સિમમાંથી મળી આવ્યો હતો. જે મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે હત્યારાઓનું પગેરુ મેળવવાના ચક્રોગતિમાન કર્યા છે. બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી છે. પોલીસનો ખૌફ ન હોય તેમ અસામાજિક તત્વો માથું ઊંચકી રહ્યા છે અને ઉપરા છાપરી હત્યાના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં આબુ હાઈવે અને આકેસણ રોડ ઉપર બે વ્યક્તિઓ ની હત્યા કરવામાં આવી હતી.
જે બાદ પાલનપુરના લક્ષ્મીપુરાના એક વેપારીને તારથી બાંધી સળગાવી દઈ હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી છે. જેમનો મૃતદેહ મંગળવારે મોડી સાંજે આકેસણ – વેડંચા ગામની સિમમાંથી મળી આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ દલપતભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિ (રહે. શેરી નં ૪ લક્ષ્મીપુરા, હાલ રહે નવલપાર્ક સોસાયટી) પાલનપુર તાલુકા પંચાયત સામે કુદરત ગાર્મેન્ટની દુકાન ધરાવે છે. જેઓ મંગળવારે સવારે એમનું બાઇક લઈને પાંથાવાડા ઉધરાણીએ જાઉં છું તેમ કહી નીકળ્યા હતા. જોકે, મોડા સુધી પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બની ગયા હતા. દરમિયાન ફોન ઉપર સતત સંપર્ક કરતાં અજાણી વ્યક્તિએ ફોન ઉપાડી દલપતભાઈનો મૃતદેહ આકેસણ – વેડંચા ગામની સિમમાં હોવાનું જણાવ્યું હતું.મ આથી પરિવારજનો ત્યાં દોડી ગયા હતા. જ્યાં આ વેપારીનો મૃતદેહ એક ઝાડ સાથે તારથી બાંધેલો અને સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. આ અંગે મૃતકના પુત્ર સંદિલકુમારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.