લાખણી તાલુકાની ગૌશાળામાંથી ગૌવંશને સરકારી કચેરીઓમાં છોડી મુકવાની ચિમકી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ લાખણી : આખા દેસમાં કોરોનાની મહામારી હાલમાં ચાલી રહેલી ત્યારે મહામારીમાં સરકાર તરફથી એપ્રિલ અને મે એમ બે માસની સહાય આપવામાં આવતી હતી પરંતુ સરકાર દ્વારા તે સહાય બંધ કરી દેવાતા હાલ કોરોનાની મહામારીના સમયમાં લોકો તરફથી દાનની કોઈપણ આવક થતી નથી.
જેને લિધે વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે, ત્યારે ગૌ વંશને નિભાવવા માટે કોરોનાની મહામારીનો સમય ગાળો ચાલે ત્યાં સુધીની સરકાર તરફથી સહાય આપે એવી અવાર નવાર રજુઆત કરાઇ છે. જેને સરકાર ચાલુ રાખે અને વધુમાં ઉલ્લેખનીય છે કે ગૌશાળામાં આશ્રય લઈ રહેલ પશુઓનું રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર સહાય આપે તેવી જ રીતે બનાસકાંઠા જિલ્લામાં પાંજરાપોળ ગૌશાળા ફેડરેશન દ્વારા વારંવાર મુખ્યમંત્રી અને મંત્રીઓને ગુજરાતના તમામ ધારાસભ્યોને લેખિતમાં રજૂઆત કરવા છતાં સરકાર તરફથી કોઇ યોગ્ય નિરાકરણ ન આવતા આખરે બનાસકાંઠા જિલ્લા પાંજરાપોળ ગૌશાળા ફેડરેશન દ્વારા નક્કી કરવા મુજબ તમામ સંસ્થાના પશુ અને દરેક ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીઓ અને સરકારી કચેરીઓમાં છોડીશું જેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે તેવી ચિમકી આપીને લાખણી મામલતદાર એજ્યુ કેટીવ કચેરીએ લાખણી તાલુકાની રજીસ્ટર ગૌશાળાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.