ભારત પાકિસ્તાન બોર્ડર પર ગુજરાતમાં આ સ્થળ 144 દેશના પક્ષીઓનું આશ્રયસ્થાન

બનાસકાંઠા
બનાસકાંઠા

શિયાળો શરુ થતા જ ગુજરાતના અનેક સ્થળોનું સૌંદર્ય ખીલી ઉઠતું હોય છે. તળાવો અને સરોવરના દ્રશ્યો અદ્ભૂત જોવા મળતા હોય છે. વિદેશી પક્ષીઓ ત્યાં આશ્રય મેળવતા હોવાનું જોઈને સૌંદર્ય ચાર ચાંદ લાગ્યા હોય એવું જોવા મળતું હોય છે.બનાસકાંઠા જિલ્લામાં પણ મોટી સંખ્યામાં દેશ વિદેશથી પક્ષીઓ શિયાળામાં આવી પહોંચતા હોય છે. અહીં આ પક્ષીઓેનો કલરવ શિયાળાના વાતાવરણને અદ્ભૂત બનાવી મૂકે છે.ભારત પાકિસ્તાન સરહદે આવેલ નડાબેટમાં યાયાવાર પક્ષીઓ શિયાળામાં જમાવડો સર્જતા હોય છે. જેને લઈ આ વિસ્તાર આ દિવસોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.


નડાબેટ વિસ્તારમાં આમ પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં બારે માસ મુલાકાત લેતા હોય છે. ભારત પાકિસ્તાન સરહદ અને આસપાસનું સૌંદર્ય નિહાળવા માટે પ્રવાસીઓ આવતા હોય છે.પ્રવાસીઓ બોર્ડર વિસ્તાર અને નડેશ્વરી મંદિરના ભક્તિમય વાતાવરણના અહેસાસ સાથે આસપાસમાં યાયાવર પક્ષીઓ અને તેના કલરવને માણવા અને ફોટોગ્રાફી કરવા પહોચતા હોય છે.અહીં 144 થી પણવધારે દેશથી યાયાવાર પક્ષીઓ આવતા હોય છે. જેઓ નડાબેટને પોતાનું આશ્રયસ્થાન બનાવતા હોય છે. પક્ષી પ્રેમીઓ માટે વિદેશી પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે નડાબેટ બોર્ડર પર નડેશ્વરી માતાજીનું મંદિર છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.