વિશ્વેશ્વર મહાદેવ ના મંદિરને પર્યટક સ્થળ બનાવવા માટે સહેલાણીઓ ની ઉઠી માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ તાલુકો બનાસકાંઠા જિલ્લા નો સરહદીય વિસ્તાર છે તેમજ આ તાલુકો જંગલ તેમજ ડુંગરો ની હારમાળા વચ્ચે વસેલો છે ત્યારે અમીરગઢ તાલુકા માં અનેક પૌરાણિક દેવાલયો આવેલા હોવાથી અહીં વર્ષે હજારો ની સંખ્યા માં સહેલાણીઓ શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને આ વિસ્તાર ની તપો ભૂમિ તેમજ દેવાલયો ના દર્શન કરી ધન્યતા અનુભવે છે આવાજ એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ની વાત કરવા માં આવે તો અમીરગઢ તાલુકાના વિશ્વેશ્વર મહાદેવ મંદિર બનાસ નદી ના કિનારે આવેલું હોય અહીં ગુજરાત તેમજ રાજસ્થાન માંથી નદી ના ખળ ખળ વહેતા પાણીમાં માં શ્રદ્ધાળુઓ સ્નાન કરી નજીક આવેલા શિવાલય ના પવિત્ર સ્થળ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.


અમીરગઢ તાલુકા માંથી પસાર થતી બનાસ નદી માં શ્રાવણ માસ દરમિયાન હજારો લોકો સ્નાન કરવા ઉમટી પડે છે જોકે સ્નાન ની મોજ મસ્તી સાથે બાળકો ને નદી ના પટ માં સ્નાન કરાવતા સમય કાળજી રાખવી જરૂરી છે. તો બીજી બાજુ આવતા શ્રદ્ધાળુઓ આ સ્થળ ને પ્રવાસન સ્થળ તરીકે સરકાર વિકસાવવે તેવી માંગ ઉઠી છે.મોજ મસ્તી સાથે બાળકો નું ધ્યાન રાખવુ જરૂરી છે. બનાસકાંઠા જિલ્લા નું અમીરગઢ તાલુકો જ્યાં કુદરતી હર્યા ભર્યા વાતાવરણ વચ્ચે વહેતી નદી માં મોજ મસ્તી અને શિવ દર્શન માટે પ્રતિદિન હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.