ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તાર ના નવીન પંચાયત ઘર નું બાધકામ ટલ્લે ચડ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

આવક ના હોવાના કારણે બે વર્ષ થી કામ અધૂરા મનરેગા યોજના મા બની રહ્યા છે પંચાયત ઘર: ધાનેરા તાલુકા ના ગ્રામ પંચાયતની મુખ્ય કચરી ગ્રામ પંચાયત હોય છે. જેને લઇ સરકાર દ્વારા ધાનેરા તાલુકા ના 13 ગામો મા પંચાયત ઘર ની મંજુરી બે વર્ષ થતાં ધાનેરા તાલુકાના રમુણા-શિયા-રવિયા મોટા-મેડા સહિત ના ગામો મા તો હજુ સુધી પંચાયત ઘર નું બાધકામ અડધા સુધી પણ નથી પહોચ્યું.

17 લાખ ના ખર્ચે મનરેગા યોજનામાં પંચાયત ઘર તૈયાર કરવાના છે. પરંતુ સરહદી ધાનેરા તાલુકામાં યોગ્ય રજૂઆત કરનાર ના હોવાના કારણે તાલુકા પંચાયત માં મનમાની ચાલી રહી છે. નક્કી કરેલા ત્રણ કે ચાર વ્યક્તિ ધારે એ પ્રમાણે કામ થઈ રહ્યા છે. જેના કારણે મોટા ભાગના વિકાસ ના કામો મા ગેરરીતિ થઈ રહી છે. કેટલાક જાગૃત અરજદારો હવે આ મામલે કેન્દ્ર સુધી રજૂઆત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.
તેમ જાગૃત નાગરિક એ જણાવ્યું હતું.

ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયત  વહીવટદાર ના હવાલે છે. જેથી  વહીવટ માત્ર વિકાસ ના કામો મા રસ દાખવી રહ્યા છે. જેથી પંચાયત ઘર ના કામો અધૂરા જોવા મળી રહ્યા છે. અગાઉ પણ ધાનેરા તાલુકા ના બનેલા રાજીવગાંધી ભવન નું બાધકામ અધૂરું હોવા છતાં ગ્રાન્ટ બારોબાર ચાઉં થઈ ગઈ હતી. આવું ગ્રામ પંચાયત માં ના બને તે માટે જિલ્લાના અધિકારીઓ ધાનેરા તરફ ધ્યાન આપી વિકાસ નાં કામો માં અવરોધ કરી રહેલા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માગ સ્થાનિક આગેવાન કરી રહ્યા છે.

ધાનેરા તાલુકાના એટા તેમજ એડાલ ગામમાં મનરેગા યોજના મા બનેલા મેટલ રોડ બની પણ ગયા છે અને નાણાં પણ ચૂકાઈ ગયા છે. જેની સામે પંચાયત ઘર હજુ અધૂરા છે. જેના પર થી સાબિત થાય છે કે ધાનેરા મનરેગા શાખામાં જેના પર જવાબદારી છે. આવા કર્મચારીઓ ને મેટલ રસ્તા મા વધુ આવક હોવાના કારણે તે બિલ પહેલાં મંજૂર કરાવે છે. વર્ષો થી પોતાની ફરજ નો દૂર ઉપયોગ કરી લાલચ માટે કામ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી થાય તો જ ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વિકાસનાં કામો જોઈ શકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.