અંબાજી મંદિરના દર્શનપથ પર ઘંટનાદનો સ્વર ગુંજ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિપીઠ જગતજનની અંબાનું ધામ અંબાજી કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મા જગતજનની અંબાના દર્શન અને માતાજીના ચરણોમાં દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. મા જગતજનની અંબાના મંદિરમાં ચાચર ચોકમાં ઘણા વર્ષોથી એક પણ ઘંટારવ ના હોવાના કારણે માઇભક્તોમાં હતાશા જોવા મળી હતી. હાલમાં થોડા સમયથી અંબાજી મંદિરમાં ઘંટારવ થાય તેના માટે માઇભક્તોની પ્રબળ માગ ઉઠી હતી. માઇભક્તોએ અંબાજી મંદિરના ચાચર ચોક અને મંદિર પરિસરમાં ઘંટ લગાડવા માટે મંદિર પ્રશાસનને નમ્ર વિનંતી પણ કરી હતી. તો સાથે-સાથે અંબાજીના સ્થાનિક માઇભક્ત અંબાજી મંદિરને લેખિતમાં અરજી કરી મંદિરના ચાચર ચોકમાં ઘંટ લગાડવાની અરજ કરી હતી.માઇભક્તોની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાન રાખી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરના દર્શન પથ પર ઘંટ લગાડાયો છે અને અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા તમામ માઇભક્તો ત્યાંથી પસાર થઈને ઘંટારવ કરી મા જગતજનની અંબાની આરાધના કરી રહ્યા છે. તો સાથે સાથે ઘંટારવની મધુર ધ્વનિમાં મંદિરે ગુંજી રહ્યું છે. જેને લઈને માઇભક્તો આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. તો સાથે સાથે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને ઘંટ લગાડવા માટે આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.