ધાનેરા તાલુકાના શેરગઠ ગામ થી ગામતળ ગામમાં જોડતો માર્ગ વરસાદી પાણીથી ધોવાયો
ધાનેરા તાલુકાના શેરગઠ ગામ થી ગામતળ તરફ જતા કાચા માર્ગ ને ડામર રસ્તા બનાવવા માટે સરકારે અંદાજિત 90 લાખ રૂપિયા મંજૂર કર્યા હતા.અને આજ થી 6 માસ અગાઉ શેરગઠ ગામ થી ગામતળ જ ગામ તરફ જતો માર્ગ નવો બન્યો હતો.જો કે ચોમાસા ઋતુ દરમિયાન ડામર રસ્તો પાણી નો માર સહન કરી શક્યો નથી અને ટૂંકા સમય મા ડામર રસ્તો એક તરફ થી ધોવાઈ ગયો છે. ગ્રામજનો ના જણાવ્યા અનુસાર ડામર રસ્તા નું કામ કરતા કોન્ટ્રાકટર ને પાણી ના વહેણ નજીક નાળું નાખવાનું ક્યું હતું જો કે નાળું અન્ય જગ્યા એ નાખતા વરસાદી પાણી રસ્તા પર થી પસાર થતા એક ભાગ માંથી રસ્તો ધોવાઈ ગયો છે.જે ઝડપી રીપેરીંગ કરવામાં આવે નહિ તો આખો ડામર રસ્તો ખરાબ થાય તેમ છે.ચોમાસા ઋતુ ની શરૂઆત થઈ છે.અને પહેલાં વરસાદ મા ડામર રસ્તા નું ધોવાણ થઇ રહ્યું છે.સ્થાનિક ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે.કે સરકાર ના લાખો રૂપિયા વેડફાય નહિ જેથી પાણી ના વહેણ નજીક યોગ્ય વ્યવસ્થા કરી કામ કરવું જરૂરી છે.રસ્તો એક તરફ થી ધોવાઈ જતાં અકસ્માત થાય તેવી ભિતી ઉભી થઇ છે.વરસાદી પાણી ભરાવવા ના લીધે વાહનો ડામર રસ્તા નીચે પટકાય તેમ હોવાથી ઝડપી રસ્તાનું રીપેરીંગ થાય તેવી માંગ ઊઠી છે.