વડગામ માર્કેટયાર્ડની ચૂંટણી પુન : યોજવાનો કાર્યક્રમ જાહેર થતા રાજકીય ગરમાવો તેજ
વડગામ માર્કેટયાર્ડના ૧૬ સભ્યોની સામાન્ય ચૂંટણીનું પુનઃકાર્યક્રમ જાહેર થતા વડગામ સહિત જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી. અગાઉ વડગામ માર્કેટયાર્ડની ચૂંટણી ગત તા. ૨૦ જૂને યોજાવાની હતી. જોકે મતદાર યાદીની અનિયમિતતા નું કારણ દર્શાવી તંત્ર દ્વારા ચૂંટણી સ્થગિત કરવાનો હુકમ કરાતાં તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ,
વડગામના સંચાકલ મંડળના ૧૬ સભ્યોની સામાન્ય ચૂંટણી આગામી તા. ૨૦ સપ્ટેબરના રોજ યોજવા નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાતાં તાલુકાના ખેડૂત આલમમાં ખુશી પ્રસરી ગઈ હતી. આ અગાઉ ૧૧ જૂને યોજાનાર માર્કેટયાર્ડની ચૂંટણી સામે એક અરજદારે મતદાર યાદીમાં અનિયમિતતા હોવાનુંજણાવી રજુઆત કરતા નિયામક,
બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે ચૂંટણી સ્થગીત કરવા હુકમ કરાતાં તાલુકા ઘેરા પ્રત્યાઘાત પડ્યાહતા. જોકે ચૂંટણી સ્થગિત કરવાનાહુકમને માર્કેટયાર્ડના ચેરમેન કે.પી. ચૌધરી દ્વારા ના. હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણને પ્રાયોરિટી આપી ના.હાઈકોર્ટ દ્વારા તત્કાલ સુનાવણીહાથ ધરી હતી. જોકે ના. હાઇકોર્ટ ચુકાદો આપે તે પૂર્વે નિયામક, ખેત
બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર દ્વારા નવીન જાહેરનામું પ્રસિદ્ધ કરી આગામી તા.૨૦ સપ્ટેમ્બરે ચૂંટણી યોજવા કાર્યક્રમ જાહેર કરાતાં
આગાઉ ચૂંટણી સ્થગિત કરવાના હુકમ સામે ખેડૂત આલમમાં અનેક સવાલો ઉભા થયા છે. સમગ્ર ઘટનાની પ્રતિક્રિયા આપતા માર્કેટયાર્ડના ચેરમેન કે.પી.ચૌધરી જણાવ્યું હતું કે, હંમેશા સત્યનોવિજય થાય છે. જોકે અચાનક ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા વડગામ
સહિત જિલ્લાનું રાજકારણમાં ગરમી પ્રસરી ગઈ છે.