દાંતીવાડાના વાઘરોળથી ચિત્રાસણી જતા હાઇવે પર પાણી ભરાઈ ગયાં

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડાના વાઘરોળ થી ચિત્રાસણી જતા રોડ પર વાઘરોળ ચોકડી થી માત્ર એક કિલોમીટર દુર હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકો સહિત રાહદારીને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર ઢીંચણથી પણ વધારે પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.દાંતીવાડાના વાઘરોળ થી ચિત્રાસણી જતા હાઇવેની વરવી દુર્દશા સર્જાઈ છે. થોડા સમય પહેલા જ આ રોડ પર પેવર કામ કરવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાથી રોડ પર પણ ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જ્યારે વાઘરોળ ચોકડીથી થોડા આગળ જ ચિત્રાસણી બાજુ આ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. સામાન્ય વરસાદમાં જ આ હાઇવે પર પાણી ભરાઈ જવાથી આજુબાજુના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જોકે રોડની બંને બાજુએ ખેતર માલિકોએ નાળું માટીથી પુરાણ કરી રેતના મોટા-મોટા પાળા બાંધી દેતા અહીં પાણી ભરાવાની સમસ્યા ઉદભવી છે. નાળું તાત્કાલિક ખુલ્લું કરવામાં આવે તો જ આ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.