ઈકબાલગઢ હાઇવે થી રાજસ્થાન ને જોડતો રેલવે ઓવર બ્રિજ માં પડ્યું ભ્રષ્ટાચાર નું ગાબડું

બનાસકાંઠા
બનાસકાંઠા

બાર મહિના અગાઉ ખાડા માં કામ ચલાઉ કામ કરી ને તંત્ર એ માન્યો હતો સંતોષ: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ હાઇવે થી બાલુન્દ્રા ગામ થઈ ને રાજસ્થાન માર્ગ ને જોડતો બ્રિજ પર ખાડા પડ્યા છે. અગાઉ પણ આ બ્રિજ પર મસ મોટો ખાડા પડ્યા હતા. જેમાં રાત્રી દરમિયાન એક બાઈક ચાલક ખાડામાં પડતા બાઈક ચાલક ઘયાલ થયેલો હતો. જયારે આ બ્રિજ ના સમાચાર મીડિયામાં પ્રસારિત કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ વિસ્તારમાં આવેલ ઇકબાલગઢ હાઇવેથી જેસોર અને બાલુન્દ્રા ગામને જોડતો બ્રિજ ક્ષતિગ્રસ્ત અને બિસ્માર હાલતમાં બન્યો છે. માર્ગ ઉપરથી દિવસે અને દહાડે મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે જ્યારે ચોક્કસથી કહી શકાય કે હાલ આ માર્ગ સંપૂર્ણ પણે ક્ષતિગ્રસ્ત જગ્યાએ ખાડા પડી જતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બાર મહિના અગાઉ પણ ખાડા પડી જતા મીડિયા ના માધ્યમથી જાણ થતા તંત્ર દ્વારા રાતોરાત કામ ચલાઉ થીગડાં પુરવાનું કામ કરવામાં  આવ્યું હતું અને સંતોષ માન્યો હતો.

જ્યારે હવે ફરી એકવાર બાર મહિના પછી વરસાદ ના લીધે બ્રિજ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છૅ વરસાદ ગયા બાદ પણ હજું કોઈ રીપેરીંગ કામ નથી કર્યું. ત્યારે આ બ્રિજ પર ફરી ખાડા પડી જતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બાર મહિના અગાઉ જ્યાં ખાડો પડ્યો હતો તે જ જગ્યા એ ફરી એક વાર ત્યાં જ ખાડો પડવા પામ્યો છે. બ્રિજ માં પડેલ ખાડા માં અંદર ના સળિયા પણ દેખાવા માંડયા છે. બ્રિજ ઉપર થી વાહન ચાલકો ને વાહન ચલાવતી વખતે વાહન ચાલકો ડર નો અનુભવ કરી રહ્યા છે. માટે  તંત્ર વહેલી તકે આ બ્રિજનું સમારકામ કરે તેવી લોક માંગ પ્રબળ બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.