જમીન મામલે વનવિભાગના કર્મચારીઓ અને ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકો આમને સામને

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ ના આજાપુરા વાકા ગામે જંગલ વિસ્તાર ની જમીન મામલે વનવિભાગના કર્મચારીઓ અને ભારત સરકાર ના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકો આમને સામને: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના આજાપુરા વાકા ગામે જંગલ વિસ્તારની જમીન ના હક માટે લડી રહેલા ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકો અને વનવિભાગના કર્મચારીઓ આમને સામને આવ્યા હતા. ત્યારે જંગલ વિસ્તારમાં આવતી જમીનમાં વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આદિવાસી લોકોએ વન વિભાગના અધિકારીઓને વૃક્ષારોપણ કરતાં અટકાવવામા આવતા મામલો ઉગ્ર બન્યો ત્યારે આજાપુરા વાકા ગામે જંગલ વિસ્તારમાં આવેલી જમીન મામલે વનવિભાગ ના કર્મચારીઓ તેમજ રેવન્યુ અને અમીરગઢ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ નો કાફલો આજાપુરા વાકા ગામે ધસી આવ્યો હતો.

આજાપુરા વાકા ગામે જંગલ વિસ્તાર ની જમીન ના હક માટે લડી રહેલા ભારત સરકાર ના સંગઠન સાથે જોડાયેલા ૧00 થી વધુ આદિવાસી લોકો આજાપુરા નજીક આવેલ જંગલ વિસ્તાર પાસે એકઠા થયા હતા અને જંગલ વિસ્તાર ની જમીન મામલે વનવિભાગ ના કર્મચારીઓ અને પોલીસ ની હાજરી માં ભારત સરકાર ના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી સાથે બેઠક કરી હતી.

જંગલ વિસ્તારની જમીનના હક માટે લડી રહેલા ભારત સરકાર ના સંગઠન સાથે જોડાયેલા આદિવાસીઓને વનવિભાગના કર્મચારીઓ દ્વારા ૧0 દિવસની મુદત આપતા મામલો થાળે પડયો હતો તેમજ ભારત સરકાર ના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકોએ જણાવ્યું હતું કે તે જમીન અમારી છે અને અમે કોર્ટનો સ્ટે ઓડર લાવી અમારી જમીનનો હક મેળવી શું તેવું ભારત સરકાર ના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકોએ જણાવ્યું હતું. જંગલ વિસ્તારના હદમાં આવતી જમીન ઉપર વનવિભાગ દ્વારા ફેન્સી વાડ કરી જંગલ વિસ્તારના હદમાં આવતી જમીન ઉપર વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.