ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એ 703 કિલ્લા ખાધ્ય તેલ નો જથ્થો કર્યો સીઝ

બનાસકાંઠા
બનાસકાંઠા

આગામી સમય મા દિવાળી નો તહેવાર આવી રહ્યો છે. જેમાં સૌથી વધારે ખાધ્ય તેલ નો ઉપયોગ થવાનો છે. જો કે કેટલાક વેપારીઓ નાગરિકો ના આરોગ્ય ને નુકશાન પહોચાડે તેવું તેલ બજાર મા વહેચી રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં ફૂડ વિભાગે 703 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ફૂડ વિભાગે દરોડા પાડીને આ જથ્થો જપ્ત કર્યો છે. સાગરનું લેબલ લગાવીને આ ઘીના જથ્થાનું વેચાણ કરવામાં આવતું હતુ,ફૂડ વિભાગે 91 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી છે,એક ગોડાઉન રાખીને આ ઘીના જથ્થાનું વેચાણ કરવામાં આવતું હતુ.

બનાસકાંઠામાં ભેળસેળીયા વેપારીઓ બેફામ થયા છે. ભેળસેળ કરીને ઘી ના જથ્થાનું વેચાણ થતુ હોવાની વાત સામે આવતા ફૂડ વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી છે.ફૂડ વિભાગની બાતમી મળી હતી કે સાગર ઘીના નામે લેબલ બનાવીને બજારમાં ઘી નું વેચાણ કરવામાં આવે છે ત્યારે આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા અને કાર્યવાહી કરી હતી, સાથે ઘીના નમૂના લઈ તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા,


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.