બનાસ નદીમાં નવા નીરની આવક થતા આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈમાં થશે.

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીના તળ ઊંડા જવાથી ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલી સર્જાતી હતી.પરંતુ ચાલુ વર્ષે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ પણ 85% થી વધુ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.દાંતીવાડા ડેમમાં પાણી ભરાઈ જતા 3200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી પાણી છોડાતા બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે.

દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાતા બનાસ નદીના આસપાસના વિસ્તારના ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે. છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠાના અનેક વિસ્તારમાં પાણીના તળ ઉંડા જતા રહેવાથી ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.ચાલુ વર્ષે સારો વરસાદ પડતા અનેક વિસ્તારમાં તળાવો અને નદીઓ વહેતી થઈ છે.ત્યારે બનાસ નદીમાં નવા નીર આવતા મોટાભાગના ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે. બનાસકાંઠા જિલ્લામાં જમીનના તળ છેલ્લા ઘણા સમયથી 1000 થી 1200 ફૂટ પહોંચવાના કારણે ખેડૂતોને સિંચાઈ કરવી મુશ્કેલ બની રહી હતી. તેમજ અમુક વિસ્તારોમાં બોર વેલ માટે લાખોનો ખર્ચ કરવા છતા જમીનમાંથી પાણી નીકળતા ન હતા.લાખોના ખર્ચે બનાવેલા બોર પણ ફેલ થઈ જતા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.