વાવ વિધાનસભા બેઠક પર ભાજપના નવા ચહેરાઓના નામની ચર્ચા શરૂ
(રખેવાળ ન્યૂઝ) વાવ , ૧૮૨ વિધાનસભા બેઠકોમાં અતિ મહત્વની ગણાતી વાવ બેઠક મેળવવા ભાજપ મોવડીમંડળ જાે અને તોના
સમીકરણો વચ્ચે ગોથાં મારી રહ્યું છે.ત્યારે ચૂંટણી નજીકના સમયમાં વાવ બેઠક ઉપર શંકરભાઇ ચૌધરી સિવાયના નામોમાં રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ,અલ્પેશ ઠાકોર,- કેસાજી ચૌહાણ,માવજીભાઈ પ ટ ે લ , ધ ન જી ભ ા ઈ ગોહિલ,ગુમાનસિંહ ચૌહાણના નામો ચાલી રહ્યા છે.પરંતુ આ બેઠક ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે.કારણ કે આ બેઠક ઉપર અતિમહત્વના ગણાતા ઠાકોર,દલિત અને મુસ્લીમ મતો કોંગ્રેસ તરફી વધુ ઝોક ધરાવે છે.જ્યારે બીજીતરફ પટેલ સમાજના ૨૫ ટકા મતોનું ધ્રુવીકરણ થવાની પણ સંભાવના સેવાઈ રહી છે.વધુમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મંત્રી પદ છીનવાઈ જતા ભુદેવ મતોનું પણ ઘુવીકરણ થઈ શકે તેમ છે.આ સિવાય આમ આદમી પાર્ટી પણ ભાજપનો ખેલ બગાડી શકે તેમ છે.તાજેતરમાં પ્રજાપતિ સમાજની ઘટનાને લઈ જે ઘટનામાં આરોપીઓ પટેલ સમાજના હોઈ પ્રજાપતિ મતો પટેલ ઉમેદવારને લઈ ભાજપથી વિમુખ પણ થઈ શકે છે.વધુમાં દલિત સમાજના ૩૫,૦૦૦ મતો સાથે વાવ બેઠક ઉપર જીગ્નેશ મેવાણી હુકમનું પાનું છે.આમ આ તમામ પરિસ્થિતિ જાેતા વાવ બેઠક મેળવવા માટે ભાજપને એનાલિસિસ કરી એક બુદ્ધિજીવી કમિટી રચી લોકોને ગમતો સ્થાનિક અને નિર્વિવાદીત ચહેરો મુકવામાં આવે તો ત્રીપાંખીયા જંગમાં ભાજપને વાવ બેઠક ઉપર ફાયદો થઈ શકે તેમ છે.