ભક્તે માતાજીના મંદિરમાં સોનાનો હાર ભેટ સ્વરૂપે અર્પણ કર્યો
અંબાજી મંદિરમાં એક માઈભક્તે સોનાનો હાર ભેટ સ્વરૂપે આપ્યો હતો. સોનાના હાર સાથે બુટી નંગ જડિતનો હાર ભેટ આવ્યો હતો. ઉત્તરાયણના પવિત્ર દિવસે આજે અંબાજી મંદિરમાં ભક્તે સોનાનો હાર ભેટ આપ્યો હતો. ભેટ આપેલા હારની કિંમત 3,27,501 રૂપિયા છે. ત્યારે આ હારનો વજન 58.500 ગ્રામ છે. જોધપુર, સુરત અને બાડમેરના ભક્તો પૈકી એક ભક્તે હાર ભેટ આપ્યો હતો. આ છેલ્લા 4 દીવસથી યાત્રા પર નીકળેલા ભક્તોએ નાકોડા, બાડમેર, માંડોલી અને સોનાના ખેતલાજી દર્શન કર્યા બાદ આજે અંબાજી પહોચ્યાં હતાં. ભેટ આપ્યા બાદ ભક્તે જણાવ્યું હતું કે, અમે અંબાજી મંદિરમાં દર વર્ષે માતાજીનો આશીર્વાદ લેવા માટે આવીએ છીએ.
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર વિશ્વ વિખ્યાત છે. શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે દરરોજ મા અંબાના ચરણોમાં શીશ નમાવવા અને મા અંબાનો આશીર્વાદ મેળવવા માટે હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના દર્શનાર્થે આવે છે. શક્તિપીઠ અંબાજી મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. ત્યારે માઈભક્તો મા અંબાના પ્રતિ શ્રદ્ધા અને ભક્તિ અનુસાર દાન પણ અર્પણ કરતા હોય છે. અનેકો ભક્તો સોના-ચાંદી અને રોકડ રકમનું પણ દાન કરે છે. ત્યારે આજે જોધપુર સુરત અને બાડમેરના ભક્તો પૈકી એક ભક્તે માતાજીના મંદિરમાં સોનાનો હાર ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો.
Tags Ambaji Banaskantha Deesa Dhanera ગુજરાત