સાળંગપુરબિરાજમાન કષ્ટભંજન હનુમાનજીથી નીકળેલો રથ પાલનપુર આવી પહોંચ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

સાળંગપુરમાં બિરાજમાન કષ્ટભંજન હનુમાનજીના મંદિરે 175મો શતામૃત મહોત્સવનું આગામી દિવસોમાં ભવ્ય આયોજન કરાયુ છે. જેને લઈ સમગ્ર ગુજરાતની જનતાને સાળંગપુરથી નીકળેલા રથ દ્વારા આમંત્રણ અપાઈ રહ્યું છે. ત્યારે પાલનપુર ખાતે આ રથ પહોંચતા નગરજનોએ સામેયું કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. જેમાં દરેક સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


સારંગપુર ખાતે બિરાજમાન કષ્ટભંજન હનુમાનજીના મંદિરે 175મો શતામૃત મહોત્સવ આગામી દિવસોમાં યોજાશે. સમગ્ર ગુજરાતની જનતાને સાળંગપુરથી નીકળેલા રથ દ્વારા આમંત્રણ અપાઈ રહ્યું છે ત્યારે આજે સાળંગપુરથી નીકળેલો રથ પાલનપુરમાં ખાતે આવી પહોંચતા નગરજનો દ્વારા ભવ્ય સામૈયું કરી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલનપુરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.