ડીસા વાડીરોડ મોચીવાસ પાસેથી ઢીમા ગામના યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી
યુવકના મોતનું કારણ અકબંધ પોલીસે તપાસ હાથ ધરી: ડીસા વાડીરોડ વિસ્તારમાં આવેલ મોચીવાસ પાસે રામાપીર મંદીર પાસે અવાવરૂ જગ્યામાંથી એક યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી લાશ મળવાની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતાં લાશ દુર્ગંધ મારતી હોવાથી સ્થાનિકોને જાણ થતાં સ્થાનિકોએ ડીસા ઉતર પોલીસને જાણ કરાતાં ઉતર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને દુગ્ધ મારતી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મરણજનારનું નામ અશોકભાઈ રાણાભાઈ શ્રીમાળી ઉ મ.45 રહે ઢીમા ગામનો હોવાનું બહાર આવ્યું હતું જયારે મરણજનારના ભાઈની ફરીયાદ લઈ ઉતર પોલીસે વધું તપાસ હાથ ધરી હતી..
Tags Banaskantha Deesa Dhanera diyodar