પાલનપુર શહેરમાં વેપારી પરના હુમલાના અગ્રવાલ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા
પાલનપુર ખાતે તાજેતરમાં સોના-ચાંદી ના દાગીનાના વેપારી પર ત્રણ બુકાની ધારીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. જે હુમલાને લઈને આજે અગ્રવાલ સમાજે કલેકટર અને એસ.પી.ને આવેદનપત્ર પાઠવી ગુનેગારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. પાલનપુરની મોટી બજારમાં સોના ચાંદીની દુકાન ધરાવતા જીતેન્દ્ર અગ્રવાલ પર ત્રણેક દિવસ અગાઉ બ્રિજેશ્વર કોલોની પાસે જીવલેણ હુમલો થયો હતો. તેઓ પોતાની દુકાન બંધ કરી સાંજે ઘરે
જઈ રહ્યા હતા ત્યારે બ્રિજેશ્વર કોલોની પાસે બાઇક સવાર ત્રણ અજાણ્યા બુકનીધારીઓ જીવલેણ હુમલો કરી ભાગી ગયા હતા. જે ઘટનાના અગ્રવાલ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અગ્રવાલ સમાજના લોકો આજે કલેકટર કચેરીએ અને એસ.પી.કચેરીએ દોડી આવ્યા હતા. જ્યાં અગ્રવાલ સમાજના વેપારીને ટાર્ગેટ કરી થયેલ હુમલાને
સભ્ય સમાજ માટે ઘાતક ગણાવી હુમલાખોરોને ઝડપી લઈ કડક પગલાં ભરી નશ્યત કરવાની માંગ કરી હતી.