નર્મદા નહેરામાં સંપાદન કરેલ જમીન વળતરથી વંચિત : ખેડૂતો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને કચેરી એ પહોંચ્યા છે જેમાં નર્મદા નહેરમાં કપાત જમીનનું વળતર આપવા અને એસસીએના હુકમનું પાલન કરાવવા રજૂઆત કરી હતી 2011 થી 2023 સુધી ખેડૂતોને સમયસર વળતર ન મળતા અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની કેનાલ માટે 2011 માં ખેડૂતોની જમીન સંપાદન કરાઈ હતી. જેનું વળતર આજદિન સુધી ચૂકવાયું નથી. ત્યારે આજે ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી વાવ પંથકમાં 2011 માં નર્મદા નિગમ દ્વારા નર્મદા કેનાલ માટે ખેડૂતોની જમીન સંપાદન કરાઈ હતી. જેનું પૂરતું વળતર આજદિન સુધી ખેડૂતોને ચૂકવાયું નથી. ત્યારે ખેડૂતો આજે પાલનપુર દોડી આવ્યા હતા. જ્યાં તેઓએ કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી.જોકે, વારંવારની રજૂઆતો છતાં વાવ, થરાદ, સુઇગામ પંથકના 3000 જેટલા ખેડૂતોને આજદિન સુધી વળતર ચૂકવાયું નથી. જેથી તેઓએ કલેકટર ને આવેદનપત્ર આપી વળતર ચુકવવાની માંગ કરી હતી.

જોકે આવેદનપત્ર પાઠવવા આવેલ પટેલ સામળ ભાઈએ જણાવ્યું હતુંકે અમારે રજુઆત એવી છે 2011 માં મારાં ખેતર માંથી જે કેનાલ નીકળી છે જે સમયે થોડું થોડું વળતર આપ્યું હતું વિસ પચ્ચીસ ટાકા જેટલુ એના પછી નું બધું બાકી હતું બે છ મહિનામાં બાકી નું વળતર ચૂકવવા મળી જશે જેને ત્રેર વર્ષ થઈ ગયા છે અમે બધી જગ્યાએ રજુઆત કરી અમે કોર્ટમાં ગયા કોર્ટ દ્વારા નિગમને છ મહિના ની મુદ્દત આપી હતી ચુકવણું કરવાની છતાં હજુ સુધી કસું મળ્યું નથી જેની રજુઆત કરવા અમે કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.