![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/Rakhewal-135.jpg)
સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી ઓસરતાં ખેડૂતોમાં રોષ
સુજલામ સુફલામ્ કેનાલથી જોડાયેલ ડીસા, કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ તાલુકાના ખેડૂતોનો સમાવેશ થાય છે. જો કે ચૂંટણી કે કોઈ મોટા નેતાના આગમન ટાણે જ છોડવામાં આવતા પાણીના બદલે આગામી ચૂંટણીમાં ખેડૂતોની એક જ માંગ છે કે બારેમાસ પાણી આપો નહીં તો પાણી માટે ખેડૂતોની સાથે છેતરામણી કરતા નેતાઓને ભોગવવું પડી શકે છે. તેવો આક્રોશ ઉઠવા પામ્યો છે.
પ્રધાનમંત્રીનાં બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ દરમિયાન કેનાલ ચાલુ કરવામાં આવી હતી. જ્યારે સભાના થોડા જ દિવસો પહેલાં ચાલુ કરેલ કેનાલ ફરી બંધ કરી દેવામાં આવી છે. આથી અત્યારે તેમનું પાણી ઓસરી રહ્યા છે. કોઇ મોટા નેતા આવે ત્યારે ખેડૂતોને લલચાવવા જ ચાલું કરવામાં આવતી હોય એવું હવે ખેડૂતોને લાગી રહ્યું છે.