![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/1-1.jpg)
સૂઈગામના દેવપુરા પાટીયા પાસે બે ટ્રકોના અકસ્માતમાં એકનું મોત
તંત્રની સમય સુચકતાથી એકનો આબાદ બચાવ
રખેવાળ ન્યુઝ વાવ
ગત તા.ર૯-૪-ર૦ ના રોજ સવારે ૮ઃ૩૦ કલાકે સૂઈગામ તાલુકાના દેવપુરા પાટીયા નજીક એટલે કે સૂઈગામથી વાવ રોડ પર પાંચ કીમી દૂર ચોળા અને કોલસો ભરેલી ટ્રક સામસામે ટકરાતા કોલસો ભરેલી ગાડીના બીનતસિંહ સરદાર (રહે. ભટાન્દ્રા, (પંજાબ)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે એક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખસેડાયો છે.
બનાવની વિગત એવી છેકે સૂઈગામ તરફથી કોલસો ભરેલી ટ્રક વાવ તફથી જઈ રહી હતી જ્યારે વાવ તરફથી ચોળા ભરેલી ટ્રક સૂઈગામ આવી રહી હતી. તેવામાં સવારે ૮ઃ૩૦ કલાકે અકસ્માત સર્જાતા ટ્રકમાં આગ લાગી જતાં કોલસો ભરેલી ગાડીમાં એક વ્યÂક્ત બળીને ભડથુ થઈ ગયેલ આ બાબતની જવાબદાર તંત્રને જાણ થતાં સૂઈગામ મામલતદાર(મહેસુલ) પ્રવીણદાન ગઢવીએ ઘટના સ્થળે પહોંચી ૧૦૮ મારફત ઈજાગ્રસ્ત વ્યક્તને સારવાર અર્થે થરાદ રીફર કરી દેતા તેનો આબાદ બચાવ થયો હતો. જાકે મામલતદાર અને આરોગ્ય ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલઃ-વિષ્ણુ પરમાર