સુઇગામ તાલુકાનામોરવાડાની સીમમાં ભારતમાલા રોડ પર નાળુ નહીં બનાવતાં ખેડૂતોએ જાતે રસ્તો તોડી નાંખ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

સુઇગામ તાલુકાના મોરવાડા ગામની સીમમાં નર્મદા કેનાલની સાઈડનો સર્વિસ રોડ બ્લોક કરી રોડનું પેવરિંગ કામ માટે માટીનું પુરાણ કરી દેવતા ખેતરોમાં વસવાટ કરતા 300 ખેડૂત પરિવારોને અવર-જવરનો રસ્તો બંધ થઈ જતા ગામના સરપંચને સાથે રાખી ગ્રામજનોએ રવિવારે રસ્તા પરની માટી જે.સી.બી.થી હટાવી દેતાં ચકચાર મચી જવા પામી છે. કેનાલનો સર્વિસ રોડ ચાલુ રાખવા ખેડૂતોએ માંગ કરી છે.સરહદી સુઇગામ તાલુકાના મોરવાડા નજીક કચ્છ શાખા નહેરની મોરવાડા ડિસ્ટ્રી. તેમજ માઇનોર કેનાલો મળી એક સાથે ત્રણ કેનાલો નીકળે છે. ત્યાં કેનાલનો સર્વિસ રોડ હોવા છતાં ભારતમાલા હાઇવે અંતર્ગત કામ કરતી એજન્સી દ્વારા કેનાલનો સર્વિસ રોડ બ્લોક કરી પેવર કામ માટે માટીનું પુરાણ કરી રસ્તો બંધ કરી દેવાયો હતો. નર્મદા કેનાલનો સર્વિસ રોડ ચાલુ રાખવા માટે ખરેખર તો નર્મદાના અધિકારીઓએ જવાબદાર હાઇવે ઓથોરિટીને જાણ કરવાની જરૂર હતી પરંતુ ખેતરોમાં વસવાટ કરતા 300 જેટલા ખેડૂત પરિવારો કે જેમને અવર-જવર માટે આ રસ્તો જ એક માત્ર આધાર હતો તે બંધ થઈ જતાં આખરે ખેડૂતોએ મોરવાડા સરપંચને સાથે રાખી રવિવારે જે.સી.બી.થી માટીનું પુરાણ હટાવી રસ્તો ખુલ્લો કરાવી દીધો હતો. આ અંગે ખેડૂત નરહરદાન ગઢવીએ જણાવ્યું હતું કે ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોને અવર-જવર માટે કેનાલ સાઈડનો સર્વિસ રોડ ઉપયોગી છે. કોઈ માંદગી હોય કે ડિલિવરી હોય તો અન્ય રસ્તાઓમાંથી ચાલી લોકો આ રસ્તાનો જ મહત્તમ ઉપયોગ કરે છે. જે કેનાલના સર્વિસ રોડને ભારતમાલા હાઇવે ઓથોરિટી દ્વારા માટી નાખી બ્લોક કરી દેતા ખેડૂતો હેરાન-પરેશાન થઇ ગયા છે. જે બાબતે ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.