થરાદમાં બપોરે અચાનક વરસાદી માહોલ છવાતા ધોધમાર વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદમાં આજરોજ અચાનક વરસાદી માહોલ બની ગયો હતો અને મોટી છાંટ સાથેનો ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો. થરાદના બસ સ્ટેન્ડ તેમજ કૃષ્ણ નગર સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. તાલુકાના ખાનપુર, અભેપુરા તેમજ ડોડગામ, નાગલા અને ચારડા ખાતે પણ આજે વરસાદ વરસ્યો છે.

છેલ્લા બે દિવસથી વરસાદનો માહોલ બંધાયો છે જે આજે પણ અંકબધ રહ્યો હતો. આ વરસાદ વચ્ચે અંબાલાલની આગાહીઓ સાચી પડતી હોવાની લોક ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ વરસાદથી કેટલાક ખેડૂતોને ફાયદો થશે જ્યારે અમુક ખેડૂતોના ખેતર તળાવમાં ફેરવાઇ ગયા છે તેવા ખેડૂતોને નુકસાન થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.