પાંથાવાડા પે સેન્ટર શાળાના વિદ્યાર્થીઓને ચંદ્રયાન-3 વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ભારત દેશ ચંદ્રયાન ૩ મા સફળ બનવા જઈ રહ્યું છે ત્યારે દાંતીવાડા તાલુકાની પાંથાવાડા પે સેન્ટર શાળાના વિદ્યાર્થીઓને શાળા વ્યવસ્થાપન સમિતિના શિક્ષણવિદ્દ સુધીરસિંહ ગોહિલ અને શાળાના શિક્ષક ભરતકુમાર વી. પરમાર દ્વારા ચંદ્રયાન-3 મિશનના ઉદ્દેશો અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

આ બાળકોના વૈજ્ઞાનિક જ્ઞાનમાં વધારો થાય અને વિવિધ માહિતી જાણતા થાય તે વિશે વિદ્યાર્થીઓ સાથે શૈક્ષનિક ચર્ચા કરવામાં આવી હતી. શાળાના આચાર્ય મનોજભાઈ ખરાડી પણ આ માર્ગદર્શનમાં સહભાગી બન્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.