વાવ રેફરલ હોસ્પિટલ માં સર્જન મુકવા સાંસદ પાસે ઉગ્ર લોક માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ શહેર ને રૂ 3 કરોડના ખર્ચે બનાવેલ રેફરલ હોસ્પિટલ ની સુવિધા મળી પરંતુ હોસ્પિટલ નો મુખ્ય આધાર સ્તમ્ભ ગણાતા સર્જન ની જગ્યા આજદિન સુધી ભરાઈ નથી. જોકે પ્રસુતિ ગ્રસ્ત મહિલા ઓ તેમજ  ઓપરેશન ના દર્દી ઓ તેમજ હાર્ટ ની સારવાર માટે આવિસ્તાર ના લોકો ને સારવાર અર્થે થરાદ પ્રાઇવેટ હોસ્પિટલ માં જવું પડે છે.

જોકે એક કમનસીબી ની વાત છે. કે વાવ બેઠક ઉપર થી ચૂંટાયેલા શંકરભાઈ ચૌધરી આરોગ્ય મંત્રી પદે રહી ચૂક્યા છે. તેમજ વાવ બેઠક પરથી લડી ચૂકેલા પરબતભાઇ પટેલ પણ આરોગ્ય મંત્રી પદે રહી ચૂક્યા છે. છતાં વાવ હોસ્પિટલ ને પૂરતી સુવિધા તેમજ સર્જન ની સુવિધા આજ દિન સુધી મળી નથી. આરોગ્ય અને શિક્ષણ એ પાયા ની સુવિધા ઓ છે. તો તાજેતરમાં વાવ બેઠક પર ધારાસભ્ય પદ બાદ સાંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોર પાસે વાવ સુઇગામ તાલુકાની જનતા ની એક ઉગ્ર માંગ છે. કે વાવ રેફરલ હોસ્પિટલ માં તમામ રોગો ની દવાઓ લેબોરેટરી એક્સરે,હડકવાની રશી, તેમજ ઝેરી સાપ ના ઇન્જેક્સસન તેમજ એક સર્જન ડોકટર મુકવામાં આવે તેવી લોક માંગ છે.

વાવ સુઇગામ તાલુકાની જનતા પાસે હજારો ની સંખ્યામાં આયુસમાન કાર્ડ છે. પરતું સર્જન ડોકટર ના અભાવે સારવાર અર્થે થરાદ જવું પડે છે. સત્વરે નવીન ચૂંટાયેલા બ.કા ના સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના  વિસ્તાર વાવ ખાતે હોસ્પિટલ માં સર્જન ડોકટર ની ભરતી કરાવે તેવી આ વિસ્તારની જનતા ની ઉગ્ર માંગ છે. આ બાબતે આ વિસ્તારની જનતા એ સર્જન ડોકટર ની માંગ માટે વારંવાર ઉચ્ચ સ્તરે લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ આજદિન સુધી સુન્ય રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.