પાલનપુર શહેરમાં રખડતી ગાયોના ગળામાં રેડિયમ પટ્ટા પહેરાવાયા
પાલનપુર શહેરમાં રાત્રિ દરમિયાન ગાયોના કારણે અકસ્માત ન સર્જાય તે માટે જાગૃત નાગરિકો દ્વારા ગાયોના ગળામાં રેડિયમ પટ્ટી પહેરાવવામાં આવી છે. જેથી રાત્રિ દરમિયાન વાહન ચાલકોને ગાયો નજરે પડતા અકસ્માતોનું પ્રમાણ ઘટશે તેમજ નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો નહીં પડે તેમજ ગાયોને પણ ઇજાઓ થતી અટકાવી શકાશે. બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં રખડતી ગાયોના કારણે અનેકવાર અકસ્માતો થયા છે. જેમાં કેટલાક કિસ્સામાં તો લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેથી શહેરમાં રાત્રિ દરમિયાન રખડતી ગાયોના કારણે અવાર- નવાર અકસ્માત સર્જાતા હોય છે. જેમાં નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. તેમજ ગાયોને પણ ઇજાઓ થતી હોય છે. જેના પગલે જાગૃત નાગરિકો દ્વારા આ નવતર અભિગમ અપનાવી કેટલીક રખડતી ગાયોને રેડિયમના પટ્ટા ગળામાં પહેરાવવામાં આવ્યા છે. જેના કારણે રાત્રિ દરમિયાન વાહનોની લાઈટ તે રેડિયમ પટ્ટા ઉપર પડે તો તેનાપર રિફ્લેક્ટ થતુ હોવાથી સામે કંઈક વસ્તુ છે અથવા ગાય છે તે અંગેની વાહનચાલકને જાણ થઇ શકે છે.
જેથી વાહનચાલક પોતાનું વાહન સાચવીને ચલાવે અને અકસ્માતનું પ્રમાણ ઘટી શકે છે. જેથી નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો નથી અને પશુઓને પણ ઇજા કે મોત થવાના બનાવવામાં ઘટાડો થાય છે. તે જ રીતે પાલનપુર એગોલા રોડ પરના રહીશ મહેન્દ્રભાઈ પરમાર અને હેતલબેન રાવલે જણાવ્યું હતું કે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ગાયોના ગળામાં રેડીયમના પટ્ટા લગાવવામાં આવ્યા છે. તે સરાહનીય કામગીરી કરવામાં આવી છે તે બિરદાવવાલાયક છે. આ પ્રકારે શહેરમાં રખડતી અન્ય ગાયોને પણ ગળામાં રેડિયમના પટ્ટા પહેરાવવામાં આવે તો રાત્રિ દરમિયાન ગાયોના કારણે થતા અકસ્માતો અટકી શકે છે અને લોકો તેમજ પશુઓને પણ થતું નુકશાન અટકી શકે છે.