થરાદના રાંણેશરીમાં મેલડી માતા અને ગોગાના મંદીરમાંથી ચોરીથી ફફડાટ
થરાદના રાંણેશરી ગામના ચોરે બાબુગીરી બાપજીના રહેણાંકની જગ્યામાં બે માળનું મેલડી માતાજીનું અને ગોગામહારાજનું મંદિર આવેલું છે. જેના દરવાજા પણ ડબલ સુરક્ષાવાળા છે. તેમ છતાં પણ રવિવારની રાત્રીના સુમારે અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ અંગે ગ્રામજનોએ તપાસ કરતાં મેલડી માતાજીની મુર્તિ ચાંદી-૧ કિલો,ચાંદીનાઝુમર -૭નંગ,ચાંદી છત્ર નંગ -૭ ,ચાંદીનું પારણું, ગોગાની પંચધાતુ મુર્તિ અને દાન પેટીમાં રહેલ રોકડ મળીને આશરે એકાદ લાખની મત્તાની ચોરી થતાં ચકચાર મચવા પામી હતી. આ બનાવ અંગે ગ્રામજનો દ્વારા થરાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસ દોડી હતી. અને તપાસ કરતાં તુટેલી દાનેપેટી ગામની સીમમાં લક્ષ્મણભાઇ રૂપાભાઇનાખેતરમાંથી મળી આવી હતી. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગત સાલ પણ ચોરી થવા પામી હતી. જાે કે ચોરી બાદ મોટાભાગની કિંમતી વસ્તુઓ મંદીરમાં રાખવામાં આવતી ન હતી. આ બનાવને લઇને ગ્રામજનોમાં
ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.