![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-52.jpg)
અંબાજીથી અંબાઈ ગઢા જતી એસટી બસને નડ્યો અકસ્માત, બસમાં સવાર 4 મુસાફરોનો આબાદ બચાવ
‘સલામત સવારી એસટી અમારી’ને અકસ્માત નડ્યો છે. અંબાજીથી અંબાઈ ગઢા જતી એસટી બસનો અકસ્માત સર્જાયો છે. દાંતા નજીક આવેલી કુવારશી ઘાટી જોડે બસના બ્રેક ફેઈલ થતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસના ડ્રાઈવરને હાથના ભાગે ઇજાઓ થતા તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. એસટી બસમાં સવાર 4 મુસાફરોનો આબાદ બચાવ પણ કરવામાં આવ્યો.