પાલનપુરના રામદેવનગરમાં તસ્કરો ત્રાટકયા : એક લાખની મત્તાની ચોરી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના જુના લક્ષ્મીપુરાના રામદેવ નગરમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા. પરિવાર બહાર મીઠી નીંદર માણી રહ્યો હતો. ત્યારે તસ્કરો ઓશિકા નીચેથી ચાવી લઈ ઘર ખોલી રૂ.૧ લાખની માલમત્તા લઈ ફરાર થઈ ગયા હતા. પાલનપુરના જુના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ રામદેવ નગરમાં રહેતા નિકુંજ પટેલના ઘરમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. પરિવાર રાતે ઘર બહાર મીઠી નીંદર માણી રહ્યો હતો. ત્યારે અજાણ્યા તસ્કરો ઓશિકા નીચેથી ચાવી કાઢી ઘર ખોલી રૂ. એક લાખની મત્તા લઈ ફરાર થઈ ગયા હતા. જ્યારે એજ મોડેસ ઓપરેન્ડીસથી બાજુના ઘરમાં પણ તસ્કરોએ ઓશિકા નીચેથી ચાવી લઈ ઘર ખોલી સોનાની ચેઇન લઈ, ગલ્લો તોડી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આવી તપાસ હાથ ધરી હોવાનું નિકુંજ પટેલે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.