સદરપુરમાં ઝૂંપડપટ્ટીમાં આગ: 10 ઝૂંપડા બળીને ખાખ શ્રમિકો હાજર ન હોઇ જાનહાનિ ટળી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના સદરપુરમાં ઝૂંપડ પટ્ટીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. 10 જેટલા ઝૂંપડા આગની ઝપેટમાં આવતા ઝૂપડા તેમજ ઘર વખરીનો સામાન બળીને ખાખ થયો છે. જોકે, શ્રમિકો હાજર ન હોઈ સદનસીબે જાનહાની ટળી હતી.

ઉનાળામાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આજે પાલનપુરના સદરપુર પાસે નગરપાલિકાના વેસ્ટ કલેકશનનું કામ કરતા શ્રમિકોની ઝૂપડપટ્ટીમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી હતી. જેમાં આસપાસ ના સ્થાનિક લોકો આગના ગોટા હવામાં જોઈ ઝુપડપટ્ટી પાસે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ જોતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દસ જેટલા ઝુપડા આગની ઝપેટમાં આવી ગયા હતા.

દરમિયાન, સ્થાનિક લોકો દ્વારા પાલનપુર ફાયર વિભાગને જાણ કરતા પાલનપુર ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગી ત્યારે ઝૂંપડાઓ માં શ્રમિકો હાજર ન હોઇ જાન હાનિ ટળી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.