યાત્રાધામ અંબાજીમાં શ્રીમદ ભાગવત કથા 7 દિવસ સુધી ચાલશે

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મા જગતજનની અંબાના મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો માના ચરણે આવી શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે. સાથે સાથે ધર્મની નગરી અંબાજીમાં અનેકો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ યોજતા હોય છે. જેમાં માઇભક્તો અને ગ્રામજનો ધૂમધામથી સહભાગીદાર થઈ કાર્યક્રમને સફળ બનાવતા હોય છે. ત્યારે આજે યાત્રાધામ અંબાજી ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન સરિતાનું શુભારંભ કરવામાં આવ્યું હતું.


શક્તિપીઠ અંબાજી ખાતે આજે શ્રીમદ ભાગવત કથાનો આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત કથા તારીખ 2/9/2023 શનિવારના રોજથી શરૂ થઈ સાત દિવસ સુધી ચાલશે. તો તારીખ 8/9/2023ને શુક્રવારના રોજ કથાનું વિરામ થશે. શ્રીમદ ભાગવત કથાના શુભારંભ પહેલા યાત્રાધામ અંબાજી શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. શોભાયાત્રામાં ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકારો જોડાયા હતા. શોભાયાત્રા અંબાજી મંદિર શક્તિદ્વારથી શરૂ થઈને જૂની કોલેજના ગ્રાઉન્ડમાં કથા સ્થળે પૂર્ણ થઈ હતી. કથાના આયોજક દાંતાના સ્વરૂપ ભાઈ કે.રાણા અને અમદાવાદના હરિશ્ચંદ્ર ડી. પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજે કથાના પ્રારંભે દીવા પ્રજ્વલિત કરી કથાનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રા અને કથાનો લાભ લેવા માટે પહોંચ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.