સુરક્ષાકર્મીઓએ 10 દિવસ બાદ ભૂલી ગયેલા નાણા પરત કરી માનવતાનો ઊંડા દાખલો બેસાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

શ્રદ્ધાળુઓની રૂ30 હજાર ભરેલી થેલી સુરક્ષાકર્મીઓએ પરત કરી; શ્રદ્ધાળુઓએ અંબાજી મંદિર અને પોલીસની પ્રશંસા કરી યાત્રાધામ અંબાજીમાં ગત 30 માર્ચેના રોજ અંબાજી દર્શનાર્થી આવેલા નાશિકના એક યુગલ શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કર્યા હતા. ત્યાર બાદ અંબાજી મંદિરના શક્તિ દ્વાર આગળ માતાજીની પ્રતિમા પાસે ફોટા પડાવવાના ચક્કરમાં રૂપિયા 30 હજાર જેટલી માતબર રકમ ભરેલી થેલી મંદિર આગળ જ ભૂલીને ચાલ્યા ગયા હતા. જે બાબતે તેમણે પોતાના રોકડ નાણા ખોયા હોવાની જાણ પોલીસને કરી હતી. ત્યાર બાદ શ્રદ્ધાળુ પરત નાશિક રવાના થયા હતા.

અંબાજી મંદિરની સધન સુરક્ષા પોલીસે તાકીદે CCTV કેમેરાની તપાસ કરતા પીળાં રંગની એક પ્લાસ્ટિકની થેલી કોઈ એક શ્રદ્ધાળુ ભૂલી ગયા હોવાનું જોવા મળ્યું હતું. જેની પોલીસે તપાસ હાથ ધરતા થેલીમાં રૂપિયા 500ની 60 નોટો જોવા મળી હતી. ત્યારે કોઈક શ્રદ્ધાળુએ જાણવા જોગ પોલીસને આ ખોવાયેલા નાણા બાબતે જાણ કર્યા હોવાની બાબત ધ્યાને આવતા મંદિરના PSI માયાબેન વ્યાસે નાશિક ચાલ્યા ગયેલા યાત્રિકને ટેલિફોનિક જાણ કરી હતી.

અંબાજી મંદિરના સુરક્ષાકર્મીઓએ 10 દિવસ બાદ ભૂલી ગયેલા નાણા પરત કરી માનવતાનો ઊંડા દાખલો બેસાડ્યો છે. જોકે યાત્રિકે પણ આજના સમયમાં 30 હજાર જેટલી મોટી રકમ હેમખેમ અને પુરેપુરી પરત મળતા પોલીસની સરાહના કરી હતી. આમ અંબાજી મંદિરની સુરક્ષા પોલીસે યાત્રિકો સાથેનો માનવતા ભર્યો દાખલો બેસાડ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.