દાંતીવાડાના માળીવાસ થી સોજત પગપાળા સંઘ રવાના, 6 દિવસ બાદ સોજત પહોંચી કુળદેવીના દર્શન કરશે

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડાના માળીવાસ થી સોજત જવા પગપાળા સંઘ રવાના થયો છે.ડીજે ના તાલે નાચતા ગાતા નીકળેલ સંઘવી પરિવારનો આ સંઘ 6 દિવસે સોજાત પહોંચી કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરશે. સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડ્યા હતા.સાંખલા પરિવારની કુળદેવી જૈકલમાતાજીનો પગપાળા સંઘ આજરોજ દાંતીવાડા માળીવાસથી મહેદી નગરી સોજત સીટી તરફ જવા રવાના થયો છે. દર વર્ષે નીકળતા આ સંઘમાં આ વર્ષે 125 થી વધુ લોકો જોડાયા છે.જેઓ ડીજે માં તાલે વાજતે ગાતે માની આરાધના કરતા કરતા કુળદેવી માતાજીના સ્થાને પહોંચશે.આજ નીકળેલ સંઘ છ દિવસે સોજત પહોચી કુળદેવીના દર્શન કરશે.આ સંઘ માં દરેક પગપાળા યાત્રાળુઓ માટે જમવાનું, ચા,નાસ્તો, સૂવાની વ્યવસ્થા દવાઓ સહિત તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છેસંઘ ના મુખ્ય આયોજક અશોકભાઈ, અશોકભાઈ, ડાહ્યાભાઈ,નટવરભાઈ અને સર્વે ગામજનોએ ભારે જહેમત ઉઠાવી છે.આ સંઘ સોજત પહોચી ગયા બાદ ત્યાં વિશાળ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામા આવ્યું છે. ત્યાર બાદ બધાં ભક્તો મળી ને કુળદેવી માતાજીના પ્રસાદીનો ભોગ ધરાવી ધન્યતા અનુભવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.