ડીસામાં માર્ગ અકસ્માતો નિવારવા રૂરલ પોલીસનો નવતર પ્રયાસ હાથ ધરાયો
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. વાહન ચાલકોની ઓછી વીઝીબીલીટીના કારણે પણ અકસ્માતોની ઘટનાઓ બને છે ત્યારે આવી ઘટનાઓને નિવારવા માટે રૂરલ પોલીસના નવતર પ્રયાસ રૂપે વિનામૂલ્યે વાહન ચાલકોની આંખોની તપાસ કરાઈ હતી. આ માનવતાવાદી કેમ્પમાં સેવાભાવી અને જાણીતા ડૉ. ચિરાગ મોદી
પણ જાેડાયા હતા અને તેમના દ્વારા જીપ, ટ્રક અને ડમ્પર સહિત હેવી વાહન ચાલકોની આંખોની તપાસ અને સચોટ નિદાન પણ કરવામાં આવ્યું હતું.તેમજ ઓછું દેખાતું હોય તેવા,મોતિયો કે નંબરમાં વધઘટ થયો હોય તેવા વાહન ચાલકોને સરળ ભાષામાં સલાહ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.પોલીસ દ્વારા યોજાયેલા આ વિનામૂલ્યે આંખ નિદાન કેમ્પમાં લાભ લેવા માટે વાહન ચાલકોની લાંબી કતાર લાગી હતી. રૂરલ પીઆઇ એમ. જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિનામૂલ્યે આંખ રોગ
નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. આવા પ્રયાસથી આવનાર સમયમાં ઓછું દેખાવાના કારણે બનતા અકસ્માતો અટકાવી શકાશે.