બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતો રોડ પાણીમાં ધોવાયા:વાહન ચાલકો મુશ્કેલીમાં

પાટણ
પાટણ

બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતો રોડ પાણીમાં ધોવાઈ ગયો, વાહન ચાલકો મુશ્કેલીમાં ચાલુ વર્ષે બનાસકાંઠા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો જેના કારણે દાંતીવાડા ડેમમાં પાણી ભરાયું હતું. બે દિવસ પહેલા પણ રાજસ્થાનમાં પ્રમાણમાં વરસાદ પડ્યો તેથી દાંતીવાડા ડેમમાં 30,000 ક્યુસેક કરતા પણ વધુ પાણીની આવક નોંધાઈ હતી. જેથી તંત્ર દ્વારા 30,000 ક્યુસેક જેટલું પાણી બહાર છોડવામાં આવ્યું છે. જેથી બનાસકાંઠાની બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી બનાસકાંઠા અને પાટણને જોડતો મુખ્ય માર્ગ પુષ્કળ પાણીના કારણે ધોવાઈ ગયો છે. જેથી રોજના હજારો અવર-જવર કરતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

બનાસ નદીમાં જે પ્રમાણે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે જેથી બનાસ નદી બે કાંઠે વહી રહી છે જેથી શિહોરી થી પાટણને જોડતો જે રોડ હતો તે ધોવાયો છે. જેથી અનેક લોકો શિહોરી થી અંદાજિત 15 કિલોમીટર આવેલું થરા અને થરા થઈને પાટણ જવા માટે મજબુર બન્યા છે. પરંતુ જે બનાસ નદીનું પાણી છે તે આગળ વધી રહ્યું છે. તેથી આવનાર સમયમાં થરા થી અને પાટણ જે લોકો જાય છે. તે પણ બંધ થવાની શક્યતાઓ છે. કારણ કે થરાથી પાટણને જોડતો જે રસ્તો છે. તે પણ બંધ થઈ જશે તેથી લોકોને થરા થી પાટણ જવાના રસ્તા પર પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

પાટણ જવા માટેનો મુખ્ય માર્ગ છે અમે અહીંથી રોજથી પસાર થઈએ છીએ. પરંતુ જે પ્રમાણે પાણીનો પ્રવાહ વધ્યો છે જેના કારણે નદીમાંથી પસાર થતો આ રોડ તુટી ગયો છે. જેથી અમે મુશ્કેલીમાં મુકાયા છીએ અમારે પાટણ જવું હોય ઇમર્જન્સી હોય હોસ્પિટલ જવું હોય તો જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી તેથી તંત્ર દ્વારા કઈ યોગ્ય નિરાકરણ લાવી એનું કામ કરવામાં આવે તેથી રોજની અવર-જવર બંધ ન થાય અને મુશ્કેલી નો સામનો કરવો ન પડે

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.