પાલનપુરના ગણેશપુરાના રહીશો એ કોન્ટ્રાકટરના વિરોધમાં આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર શહેરના ગણેશપુરા વિસ્તાર માં આવેલ અક્ષર બંગ્લોઝના રહીશો કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા. જ્યાં તેઓએ કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ થતું હોવાની રાવ સાથે આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી.

પાલનપુરના ગણેશપુરા અક્ષર બંગલોઝ ના રહીશો આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની કામગીરી કરતા રહીશોને હાલાકી ભોગવવી પડતી હોવાની રજુઆત કરાઈ હતી. જેમાં બનાવેલ મકાનમાં પ્લાસ્ટર તેમજ ટાઇલ્સ નું કામ ખરાબ હોવાના કારણે વરસાદી પાણી મકાનમાં ઘુસ્યા હોવાની બુમરાણ વચ્ચે રહીશો એ અનેકવાર કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટરે આંખ આડા કાન કરતા તમામ રહીશોએ કલેકટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ટૂંક સમયમાં સારી કામગીરી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલની ચીમકી ઉચ્ચારવા આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.