થરાદ ધાનેરા રોડની કામગીરી પુર્ણ થતાં પ્રજાજનોને રાહત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદથી ધાનેરા માર્ગને ફોરલેન બનાવવામાં આવતો ઘણા સમયથી તેનું કામ ચાલી રહ્યું હતું. પરંતુ વડગામડાથી થરાદ સુધીનું અને વચ્ચે કેટલીક જગ્યાએ અધુરી કામગીરી ગોકળગતિએ ચાલતી હોવાથી વાહનચાલકો ભારે હાલાકીઓનો સામનો કરી રહ્યા છે. આથી સત્વરે કામગીરી પુર્ણ કરવાની માંગણી ઉઠવા પામી છે.આ અંગેના મિડીયાના અહેવાલ બાદ કામગીરી પુર્ણ થતાં વાહનચાલકોએ રાહત અનુભવી હતી.
થરાદથી ધાનેરા ને જાેડતા અંદાજીત ૪૫ કિમી સુધીના નેશનલ હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી હતી. જાેકે તે થરાદના વડગામડા પછી પુર્ણ કરવામાં આવેલો ન હોઇ તેમજ કેટલીક જગ્યાએ કામગીરી અધુરી હોવાના કારણે આ માર્ગેથી અવરજવર કરતા વાહનચાલકો અને પ્રજાજનોને ભારે હાલાકીઓ ભોગવવી પડી રહી હતી. આ માર્ગેથી રોજ અપડાઉન કરતા શિક્ષકો અને વેપારીઓ તથા મુસાફરો મંદગતિએ ચાલતી કામગીરીના કારણે અણીયાળી કાંકરીઓ અને ધુળના સામ્રાજ્ય વચ્ચેથી પસાર થવું પડતું હતું. આથી વાહનોનાં પૈડાં અને આરોગ્ય બંન્નેને નુકશાન થઇ રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. કેટલાક મુસાફરોને સાઇડમાંથી પસાર થતા વાહનના પૈડા તળેથી છટકતી કાંકરીઓ વાગવાથી ઇજાના બનાવો પણ બન્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આથી તંત્ર દ્વારા આ હાઇવેની લાંબા સમયથી ચાલી રહેલી કામગીરી તાકીદે પુર્ણ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી હતી. આ અંગેના અહેવાલ પ્રકાશિત થયા બાદ તંત્રએ ઝડપી કામગીરી હાથ ધરી હતી. અને છેક થરાદ સુધી પેવરકામ કરી દેવાતાં રાહદારી વાહનચાલકોએ રાહતની લાગણી અનુભવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.