વાવના લાંપડીયાના ખેડૂતોની જમીનમાં સોલાર પ્લાન્ટે કબજાે કરતા હોવાની રાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વાવ : સરહદી વાવ તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદી સીમાના છેવાડે ભારત દેશનું લાંપડીયા ગામ આવેલું છે. અહીંથી પાકિસ્તાનનું અંતર માત્ર ૧૦ કીમી નું છે. આ લાંપડીયા ગામમાં ઠાકોર, રબારી, પટેલ સહીત અંદાજે ૩૦ થી ૩પ પરિવારો વસવાટ કરે છે. અને પોતાની ખેતીની જમીન ઉપર જીવન નિર્વાહ ગુજારે છે. આજથી અંદાજે ૧ વર્ષથી પહેલાં આ વિસ્તારમાં મેગાવોલ્ટ સોલાર પ્લાન્ટનું ખાત મૂહુર્ત કરાયું હતું. જે પ્રસંગે લાંપડીયા ગામના ઠાકોર, રબારી પરિવારોની જમીન કંપનીઓ હડપ ન કરી જાય તે માટે કોંગ્રેસના સ્થાનિક અને રાજ્ય કક્ષાના અગ્રણીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જાે કે હમણાં એક સપ્તાહ અગાઉ લાંપડીયા ગામના રઢ ખેડૂત પરિવારોને ખેતી લાયક-મીઠી જમીન પર સોલાર પ્લાન્ટના સંચાલકો કબજાે કરતા હોવાની ખેડૂતોની રાડ ફરિયાદના પગલે ગુ.પ્રદેશ વિહોતર ગૃપના અધ્યક્ષ જીવરાજભાઈ આલે ગામની રૂબરૂ મુલાકાત લઈ તેમની આપવીતી સાંભાળ્યા બાદમાં જીવરાજભાઈ આલે મીડીયા સમક્ષ જણાવ્યા મુજબ આ અભણ અને ભોળા પરિવારોની બાપ-દાદ વખતની વડીલો પાર્જીત જમીન છે. અને વર્ષોથી મીઠો જમીન ઉપર પાકનું વાવેતર કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. હાલમાં પણ ખેતરોમાં ચોમાસુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાબતે લાંપડીયા ગામના ખેડૂતોએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે અમારી જીવથી વ્હાલી જમીન ઉપર સોલાર પાર્કનો કબજાે નહીં થવા દઈએ. અમને ન્યાય નહીં મળે તો ગાંધી ચિધ્યા માર્ગ જઈ આંદોલન કરીશું. લાંપડીયા ગામના ર૦ થી વધુ ગરીબ અભણ પરિવારોની વ્હારે ગુ.પ્રદેશ વિહોતર ગૃપના અધ્યક્ષ જીવરાજભાઈ આલે અવાજ ઉઠાવીને હિંમત પુરી પાડી છે ને તેમની સાથે રહી યોગ્ય ન્યાય અપાવવાની પણ બાંહેધરી ઉચ્ચારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.