માલોત્રા ગામે વીજળી પડતા બે પશુઓના મોત થતા શ્રમિક પરિવાર બેહાલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકાના માલોત્રા ગામે ગતરાત્રીએ શ્રમિકના ખેતરમાં વીજળી પડતા બે પશુઓના કમકમાટી ભર્યા મોત થયા છે. ધાનેરા તાલુકાના માલોત્રા ગામના જેઠાભાઈ રામજીભાઈ વાગડાના ખેતરમાં ત્રીજા ભાગે વાવણી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિક હેદુભાઈ છગન ભાઈ ગલચરને ગત રાત્રીએ આકાશમાંથી પડેલી વીજળી ના કારણે અંદાજીત ૭૦ હજાર રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. તેમની એક દુધાલી ભેંસ તેમજ બે વર્ષય પાડી પર વીજળી પડતા તેમનું જગ્યા પર જ મોત થયું હતું. આ મામલે વેટેનરી તબીબે બન્ને પશુઓનું પીએમ કરી અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર આ મામલે યોગ્ય વળતર પરિવારને આપે તેવી વિનંતી કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.