થરાદ નગરપાલિકા દ્વારા ફાયર સેફટીની ચકાસણી કામગીરી હાથ ધરાઈ

બનાસકાંઠા
tharad
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : બે દિવસ પહેલા અમદાવાદની એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાના કારણે આઠ જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આથી નગરપાલિકા નગરની ફાયર ટીમ દ્વારા વિવિધ હોસ્પિટલમમાં ફાયર સેફટી ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નગરમાં અનેક હોસ્પિટલો અને દુકાનોમાં નગરપાલિકાની સુચનાને પગલે ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવેલા હોય છે. તો અનેકમાં અભાવ પણ હોય છે. પરંતુ ઘણી વખત તે જરૂરિયાતના સમયે કામ કરી શકે તેવી સ્થિતિમાં ન હોય તેમ પણ બની શકે છે. આથી નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા હોસ્પિટલમાં જઈને ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  આ અંગે નગરપાલિકાના ઓફીસર વિરમભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ફાયર એક્સટિંગ્યુસર, ફાયર એલાર્મ સિસ્ટમ, ફાયર હાઇદ્રન્ટ સિસ્ટમ, ફાયર ઇમરજન્સી એક્ઝિટ હોજરીલ સિસ્ટમ, એક્ઝિટના સાઈનબોર્ડની સુવિધા હોવી જોઇએ અને તેને ઓપરેટ કરનાર ટ્રેનિંગ પામેલ વ્યક્તિ પણ હોવી જોઈએ.ટીમ દ્વારા નગરની ૧૫ જેટલી હોસ્પિટલોમાં શુક્રવારે ફાયરસેફ્ટીની ચકાસણી ચાલુ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.